ટનલમાં મજૂરો પાસે પહોંચ્યુ એનડીઆરએફની ટીમઃ થોડીવારમાં બહાર લવાશે, ટનલની અંદર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી, ગ્રીન કોરિડોર તૈયાર
- 28 Nov, 2023
ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરો થોડીવારમાં બહાર આવશે. SDRFની ટીમ સ્ટ્રેચર અને ગાદલા સાથે ટનલની અંદર પહોંચી ગઈ છે. ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ પહોંચી રહી છે. NDRFની ટીમ 16 દિવસથી ફસાયેલા 41 મજૂરોને ટનલમાંથી બહાર કાઢશે.
ટનલની નજીક એક બેઝ હોસ્પિટલ છે. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ પછી મજુરો માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. તેમને 30-35 કિમી દૂર ચિન્યાલીસૌડમાં લઈ જવામાં આવશે. ત્યાં 41 બેડની વિશેષ હોસ્પિટલ બનાવવામાં આવી છે. એમ્બ્યુલન્સ સાથે સ્પેશિયલ ડોકટકર પણ રહેશે. જો કોઈપણ મજૂરની સ્થિતિ વધુ ખરાબ લાગે છે, તો તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMS લઈ જવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ